Skip to main content

પૈસા, સંપત્તિ કે સત્તા નહિ સારા સંબંધો જ જીવનમાં સાચી ખુશી પ્રદાન કરે છે.

 પૈસા, સંપત્તિ કે સત્તા નહિ સારા સંબંધો જ જીવનમાં સાચી ખુશી પ્રદાન કરે છે. 


    લાઈફમાં અમુક અન્યના અને અમુક  ખુદના અનુભવો પરથી હું એટલું સમજી શકી છું કે પૈસા, સંપત્તિ અને સત્તા નહિ પરંતુ સારા સંબંધો જ જીવનમાં ખુશી પ્રદાન કરે છે. પૈસા આજે છે કાલે નહિ હોય, સંપત્તિ અને સત્તા પણ કાયમી નથી હોતા, પરંતુ તમારો કોઈપણ વ્યક્તિ સાથે નો સારો સંબંધ જ  તમારું મૂલ્યાંકન કરે છે. 

       કોઈ વ્યક્તિ દુઃખી હોય ત્યારે આશ્વાસન ના બે બોલ, કોઈ વ્યક્તિ ને પ્રોત્સાહન ના બે શબ્દો , કોઇ આંખમાંથી આંસુ  સારતું હોય એ સમયે તેમને   આપેલો ઇમોશનલ સપોર્ટ , કોઈ વ્યક્તિ ની ખુશીમાં તેને ચીયર અપ કરવું બસ એ જ જીવનમાં તમને સાચી ખુશી પ્રદાન કરી શકે છે.  કલિયુગ  પોતાનો પંજો પ્રસરી રહ્યો છે, માનવી હવે માનવતા ભુલી રહયો છે, લોકો હિંસક બની રહ્યા છે, છળકપટ , કાવા દાવા, વાસના , મોહ, વગેરે  મલિન તત્વો એ સંસારમાં વ્યાપકપણે ફેલાવો કરી લીધો છે. 

       આ ઘોર કળિયુગમાં અને વયોવૃદ્ધ, બાળકો અને અનેક લોકો ફક્ત પ્રોત્સાહન કે આશ્વાસન ના બે બોલ ઝંખતા હોય છે. અને તમે જે તે સમયે અજાણી વ્યક્તિને કરેલો ઈમોશનલ નિ:સ્વાર્થ સપોર્ટ તમને એક અનોખી ખુશી આપશે.  જે ખુશી રૂપિયાથી નથી મળતી તે ખુશી માણસને નિ: સ્વાર્થ મદદ કરવાથી મળે છે. 

      સત્તા કે સંપત્તિથી કોઈ દેશ રાજ્ય કે જિલ્લા પર શાસન કરી શકાય છે, પરંતુ કોઈના દિલ પર રાજ કરવા માટે તો તમારા સારા વ્યવહાર થકી જ  દિલ જીતવું પડે!!
   
        એક વાર ટ્રાઈ કરી જુઓ. 

Comments

Popular posts from this blog

દરિયો એક તરસનો....

 હમણાં કાજલ ઓઝા વૈદ્યની નોવેલ વાંચું છું. ચિત્રલેખા માં પ્રસિદ્ધ થયેલી અને બહુ જ ફેમસ એક અલગ જ નોવેલ છે, દરિયો એક તરસનો. એક છોકરી નાનપણથી માતા-પિતાનો પ્રેમ ઝંખે છે,પરંતુ સંજોગોવશાત તેના નસીબમાં જ નથી હોતો. પછી યુવાવસ્થામાં એક યુવક પાસેથી પ્રેમ ઝંખે છે,તે પણ તેના નસીબ માં નથી હોતો!! સ્વભાવે ભોળી,સુંદરતામાં રૂપસુંદરીઓને પણ પાછળ પાડી દે તેવી અત્યંત સુંદર, જાણીતી અભિનેત્રી, મબલખ સંપત્તિ વારસામાં મેળવનારી, નિઃસ્વાર્થ પ્રેમ ઝંખનારી વ્યક્તિ પોતાના સોનેરીદિવસો યુવાવસ્થામાં જ્યારે પ્રેમ પાછળ દોડે છે ત્યારે ઝાંઝવાના જળ ની જેમ આ પ્રેમ પણ માત્ર આભાસ સાબિત થાય છે!!વિશ્વરૂપી દરિયામાં તેની પ્રેમની તરસ બુઝાતી જ નથી!! બહુ જ નાજુક વિષયની આ વાર્તા બહુ જ સુંદર શબ્દો માં લખવામાં આવેલ છે. આ તો કેવળ એક કોરી કલ્પના હશે પરંતુ હકીકત માં પણ આવું બનતું હોય છે! અનેક લોકો એવા હોય છે જે અસીમ રૂપ, અખૂટ સંપત્તિ ના સ્વામી હશે પરંતુ પ્રેમ ની બાબતમાં બહુ જ ગરીબ હશે!! આજકાલ લોકો સાચી લાગણી નિઃસ્વાર્થ પ્રેમ ઝંખે છે,પણ આજકાલ પ્રેમ દુર્લભ છે!! આ કળિયુગમાં ઘણી વ્યક્તિઓ એકલવાયાપણું  ક્યાંક ને ક્યાંક તો મહેસુસ  કર...