લગ્ન સમયે વરરાજાના ખભા પર સફેદ કપડું મુકવામાં આવે છે જેનો એક છેડો કન્યાના પલ્લું સાથે ફેરા ફરતી વખતે ગાંઠથી બાંધવામાં આવે છે જેને ગઠબંધન કહેવાય છે. જેમાં સિક્કો, હળદર, ફૂલો, દુર્વા અને ચોખાને કાપડમાં રાખી ગાંઠ મારવામાં આવે છે. જેનો મતલબ થાય છે કે ધન પર પતિ કે પત્ની કોઈ એક માત્રનો અધિકાર નહિ હોય, ધન ખર્ચના બંનેની સંમતિ આવશ્યક છે. ફૂંલ નો મતલબ છે વરવધુ આજીવન એકબીજા માટે ફૂલોની જેમ સુગંધિત બની રહેશે. હળદર સ્વાસ્થ્યનું પ્રતીક છે. ચોખા નો મતલબ છે અનાજ ભલે પતિ કમાવી લાવે, ને રસોઈ ભલે પત્ની બનાવે પણ ભોજન પર બંનેનો સમાન અધિકાર રહેશે. દુરવાનો અર્થ છે નિર્જીવ ન થનારી પ્રેમભાવના. જે પ્રકારે દુર્વાનુ જીવન તત્વ નષ્ટ થતું નથી તેમ વર-કન્યા એકબીજા માટે મધુર અને આત્મીય બની રહે છે.
હમણાં કાજલ ઓઝા વૈદ્યની નોવેલ વાંચું છું. ચિત્રલેખા માં પ્રસિદ્ધ થયેલી અને બહુ જ ફેમસ એક અલગ જ નોવેલ છે, દરિયો એક તરસનો. એક છોકરી નાનપણથી માતા-પિતાનો પ્રેમ ઝંખે છે,પરંતુ સંજોગોવશાત તેના નસીબમાં જ નથી હોતો. પછી યુવાવસ્થામાં એક યુવક પાસેથી પ્રેમ ઝંખે છે,તે પણ તેના નસીબ માં નથી હોતો!! સ્વભાવે ભોળી,સુંદરતામાં રૂપસુંદરીઓને પણ પાછળ પાડી દે તેવી અત્યંત સુંદર, જાણીતી અભિનેત્રી, મબલખ સંપત્તિ વારસામાં મેળવનારી, નિઃસ્વાર્થ પ્રેમ ઝંખનારી વ્યક્તિ પોતાના સોનેરીદિવસો યુવાવસ્થામાં જ્યારે પ્રેમ પાછળ દોડે છે ત્યારે ઝાંઝવાના જળ ની જેમ આ પ્રેમ પણ માત્ર આભાસ સાબિત થાય છે!!વિશ્વરૂપી દરિયામાં તેની પ્રેમની તરસ બુઝાતી જ નથી!! બહુ જ નાજુક વિષયની આ વાર્તા બહુ જ સુંદર શબ્દો માં લખવામાં આવેલ છે. આ તો કેવળ એક કોરી કલ્પના હશે પરંતુ હકીકત માં પણ આવું બનતું હોય છે! અનેક લોકો એવા હોય છે જે અસીમ રૂપ, અખૂટ સંપત્તિ ના સ્વામી હશે પરંતુ પ્રેમ ની બાબતમાં બહુ જ ગરીબ હશે!! આજકાલ લોકો સાચી લાગણી નિઃસ્વાર્થ પ્રેમ ઝંખે છે,પણ આજકાલ પ્રેમ દુર્લભ છે!! આ કળિયુગમાં ઘણી વ્યક્તિઓ એકલવાયાપણું ક્યાંક ને ક્યાંક તો મહેસુસ કર...
Wao ur information is very important ☺☺☺🙏
ReplyDelete