હમણાં મહાભારત જોઉ છું. મહાભારત ભારત દેશ નો એક મહાન ગ્રંથ છે. કદાચ મહાભારત માં સંસાર ની સમગ્ર દુન્યવી સમસ્યાઑ ને વર્ણવવામાં આવી છે. મહાભારત માં સૌથી શ્રેષ્ઠ પાત્ર મને શ્રીક્રુષ્ણ નું જ લાગ્યું!! શ્રીકૃષ્ણ ના કામણગારા નયન ,ચહેરા પર હરહંમેશ રહેતું સ્મિત, બુદ્ધિચાતુર્ય,દૂરદેશી, મોહક અને અર્થસભર સ્મિત, નિર્ણય શક્તિ એ જ તેમને મહાન અને શ્રેષ્ઠ પુરુષ બનાવેલ. દુનિયાની કોઈપણ સ્ત્રી નજરમાત્ર થી વશ થી જાય!!! શ્રીકૃષ્ણને માયાવી કહેવામાં આવે છે.પોતાના સુંદર તથા નિર્દોષ મુખ વડે,મધુર વચનોથી, તથા નટખટ લીલાઓથી તે કોઈનું પણ મન મોહી લે છે!! જન્મથી શ્રીકૃષ્ણઈ અનેક બાળ લીલાઓને મહાભારતમાં આવરી લેવામાં આવી છે! શ્રીકૃષ્ણ દરેક સંબંધ બખૂબી નિભાવી જાણે છે! ઉત્તમ દ્રોપદી ના મિત્ર,સુદામા ના મિત્ર, જશોદાના પુત્ર,બલરામ ના ભાઈ, રાધાના પ્રેમી, રૂકમણી ના પતિ, દ્વારિકા ના રાજા, પાંચ પાંડવોના ભાઈ અને અન્ય સંબંધો તેમને તેમના જીવનકાળ દરમિયાન ખૂબ સુંદર રીતે નિભાવેલ. ક્યારેક એમ થઈ કે કાશ! મારે પણ શ્રીકૃષ્ણ જેવો એક મિત્ર હોય,જે જિંદગી ના કઠિન સમયે મને માર્ગદર્શન આપે!! શ્રીકૃષ્ણએ હમેશા પોતાના બુદ્ધિ ચાતુર્ય વડે પાંડવો ને જીત અપ...
Comments
Post a Comment