Skip to main content

બદલાવ

      એમ કહેવાય છે કે પ્રેમ માં માણસો પોતાની જાત ને બદલી  નાખે. વેલ માણસ નું મન બહુ જ ચંચળ હોય છે. માણસ ને જે વસ્તુ  બહુ જલદી આસાની થી, જાજા પ્રયત્નો વગર મળી જાય તેની કોઈ જ વેલ્યુ હોતી નથી. આસાની થી પ્રેમ મળી જાય તો એમાં આકષૅણ વધુ હોય છે અને કદાચ એ  આકર્ષણ પણ બહુ લાંબો સમય ટકતું નથી. 

     પરંતુ જે પ્રેમ માટે તમે ખૂબ વલખાં માર્યા હોય, અનેક માનતા ઓ માની હોય, ભગવાન ને મનાવ્યા હોય, લોકો ને મનાવ્યા હોય, સીધા કે આડકતરા રસ્તા  અપનાવ્યા હોય, એક સારી છાપ પાડવા ખુદ પોતાનામાં અનેક બદલાવ લાવ્યા હોય એ પ્રેમ હંમેશા ટકે અને એ પ્રેમ ની હંમેશા જીત  જ થાય છે.  

       પ્રેમ બહુ જ લકી હોય એને જ મળે છે. જો તમને  સામેવાળી વ્યક્તિ માં ૧%પણ ચાન્સ લાગતા તો એ ૧%માંથી ૧૦૦ % થઇ શકે છે. બસ જરૂર છે ફકત તમારા પ્રયત્નોની.તો જીવનમાં તક મળે તો એ ચાન્સને ગુમાવતા નહિ, નહિ તો જિંદગીભર એક અફસોસ કદાચ રહી જાય...

         તમે તમારા પ્રેમ ને પામવા માટે શું બદલાવ તમારામાં લાવ્યા?? 

Comments

Popular posts from this blog

દરિયો એક તરસનો....

 હમણાં કાજલ ઓઝા વૈદ્યની નોવેલ વાંચું છું. ચિત્રલેખા માં પ્રસિદ્ધ થયેલી અને બહુ જ ફેમસ એક અલગ જ નોવેલ છે, દરિયો એક તરસનો. એક છોકરી નાનપણથી માતા-પિતાનો પ્રેમ ઝંખે છે,પરંતુ સંજોગોવશાત તેના નસીબમાં જ નથી હોતો. પછી યુવાવસ્થામાં એક યુવક પાસેથી પ્રેમ ઝંખે છે,તે પણ તેના નસીબ માં નથી હોતો!! સ્વભાવે ભોળી,સુંદરતામાં રૂપસુંદરીઓને પણ પાછળ પાડી દે તેવી અત્યંત સુંદર, જાણીતી અભિનેત્રી, મબલખ સંપત્તિ વારસામાં મેળવનારી, નિઃસ્વાર્થ પ્રેમ ઝંખનારી વ્યક્તિ પોતાના સોનેરીદિવસો યુવાવસ્થામાં જ્યારે પ્રેમ પાછળ દોડે છે ત્યારે ઝાંઝવાના જળ ની જેમ આ પ્રેમ પણ માત્ર આભાસ સાબિત થાય છે!!વિશ્વરૂપી દરિયામાં તેની પ્રેમની તરસ બુઝાતી જ નથી!! બહુ જ નાજુક વિષયની આ વાર્તા બહુ જ સુંદર શબ્દો માં લખવામાં આવેલ છે. આ તો કેવળ એક કોરી કલ્પના હશે પરંતુ હકીકત માં પણ આવું બનતું હોય છે! અનેક લોકો એવા હોય છે જે અસીમ રૂપ, અખૂટ સંપત્તિ ના સ્વામી હશે પરંતુ પ્રેમ ની બાબતમાં બહુ જ ગરીબ હશે!! આજકાલ લોકો સાચી લાગણી નિઃસ્વાર્થ પ્રેમ ઝંખે છે,પણ આજકાલ પ્રેમ દુર્લભ છે!! આ કળિયુગમાં ઘણી વ્યક્તિઓ એકલવાયાપણું  ક્યાંક ને ક્યાંક તો મહેસુસ  કર...