Skip to main content

ઝાંઝવા

     રણપ્રદેશમાં  પાણી બહુ દુર્લભ હોય છે ત્યાં પાણી  ખૂબ દૂર હોય તો પણ તેને દૂરથી જોઈને મન માં એક આશ  જાગતી હોય છે અને લોકો  એ પાણી માટે ખાસ કરીને કોઈ તરસ્યો વ્યક્તિ એ જળ જોઈને દૂર દૂર થી જળ મેળવવા માટે ઝડપથી ચાલે છે. ક્યારેક  એ જળ મેળવી ને પોતાની ક્ષુધા છિપાવે છે અને ક્યારેક એ જ ઝાંઝવાના જલ માનવી ના મોત નું કારણ બને છે. 

      માનવ મનનું પણ એવું જ છે ને દરેક મનુષ્ય  હતાશા માં આશાના એક કિરણ ને નીરખી ને તેના માટે  દોટ લગાવે છે. અને ઘણીવાર આ દોટ સફળ નીવડે છે. ક્યારેક  આ કશુંક પામવા માટે ની દોડ નિરાશા પણ ઉત્પન્ન કરે છે, ખાસ કરીને જ્યારે સફળતા બહુ જ દૂર હોય ત્યારે!! 

         માણસ ઘણી વાર પૂરી જિંદગી પૈસા, પ્રમોશન, સત્તા, પ્રોપર્ટી, જેવા માયારૂપી મૃગજળ પાછળ દોડ લગાવે છે અને અંતે તે ઝાંઝવાના જળ ઠગારા નીવડે છે. અને તે ઝાંઝવાના છળ સાબિત થાય છે. 

Comments

Popular posts from this blog

દરિયો એક તરસનો....

 હમણાં કાજલ ઓઝા વૈદ્યની નોવેલ વાંચું છું. ચિત્રલેખા માં પ્રસિદ્ધ થયેલી અને બહુ જ ફેમસ એક અલગ જ નોવેલ છે, દરિયો એક તરસનો. એક છોકરી નાનપણથી માતા-પિતાનો પ્રેમ ઝંખે છે,પરંતુ સંજોગોવશાત તેના નસીબમાં જ નથી હોતો. પછી યુવાવસ્થામાં એક યુવક પાસેથી પ્રેમ ઝંખે છે,તે પણ તેના નસીબ માં નથી હોતો!! સ્વભાવે ભોળી,સુંદરતામાં રૂપસુંદરીઓને પણ પાછળ પાડી દે તેવી અત્યંત સુંદર, જાણીતી અભિનેત્રી, મબલખ સંપત્તિ વારસામાં મેળવનારી, નિઃસ્વાર્થ પ્રેમ ઝંખનારી વ્યક્તિ પોતાના સોનેરીદિવસો યુવાવસ્થામાં જ્યારે પ્રેમ પાછળ દોડે છે ત્યારે ઝાંઝવાના જળ ની જેમ આ પ્રેમ પણ માત્ર આભાસ સાબિત થાય છે!!વિશ્વરૂપી દરિયામાં તેની પ્રેમની તરસ બુઝાતી જ નથી!! બહુ જ નાજુક વિષયની આ વાર્તા બહુ જ સુંદર શબ્દો માં લખવામાં આવેલ છે. આ તો કેવળ એક કોરી કલ્પના હશે પરંતુ હકીકત માં પણ આવું બનતું હોય છે! અનેક લોકો એવા હોય છે જે અસીમ રૂપ, અખૂટ સંપત્તિ ના સ્વામી હશે પરંતુ પ્રેમ ની બાબતમાં બહુ જ ગરીબ હશે!! આજકાલ લોકો સાચી લાગણી નિઃસ્વાર્થ પ્રેમ ઝંખે છે,પણ આજકાલ પ્રેમ દુર્લભ છે!! આ કળિયુગમાં ઘણી વ્યક્તિઓ એકલવાયાપણું  ક્યાંક ને ક્યાંક તો મહેસુસ  કર...