દરિયો...માનવીના મન થી પણ ઊંડો છે દરિયો.. કદાચ આ દરિયાના ઊંડાણ માં શું શું છૂપાયેલું છે તેનો તાગ કાઢવા કોઈ પણ સક્ષમ નથી. સુંદર જલસૃષ્ટી આ દરીયા કિનારે અને દરિયામાં પોતાનું અસ્તિત્વ ટકાવી રહી છે. કેટલાય જીવો માટે આ દરિયો તારણહાર છે અને કેટલાય જીવો જે આ દરિયામાં પોતાનો જીવ ખોઇ દે છે તેમને માટે આ જ તારણહાર ભક્ષક બને છે. સમુદ્ર કિનારે તેના વહેતા મોજા ને નિહાળવું એ પણ એક લહાવો છે. વિશાળ સમુદ્ર ના અલ્પજીવી વિકરાળ મોજા એક સમયે જમીન કે પથ્થર સાથે ટકરાઇ ને ફીણ ફીણ થઈ જાય છે, બિલકુલ માનવીના અહંકાર ની જેમ જ તો!! કદાચ એમ કહી શકાય કે અત્યંત ભયાવહ અને શક્તિશાળી મોજા પણ ધરતી નો સ્પર્શ કરવા વિહવળ બની જાય છે અને અંતે ધરતી નો સ્પર્શ થતાં જ બિલકુલ નમ્ર બની જાય છે બિલકુલ એક શક્તિશાળી આદમ પોતાની ઇવ પાસે ઝૂકી જાય એમ જ. દરિયો પોતાના વિશાળ પેટાળમાં અનેક રાઝ,અનેક રહસ્યો ને સમાવીને ઘેઘુર ગર્જના કરે છે. દરિયા કિનારે આમ શાંતિ પરંતુ પોતાના મોજા ની ભયંકર ગર્જના દ્વારા વાતાવરણ માં હંમેશા શોર જ શોર લાગે છે. પરંતુ એ શોર માં પણ એક અનેરો આનંદ છે, એક ઊંડાણ છે. એ શોર માનવીના હ્રદય , મન અને મગજ માં ચાલતા શોર ને શાંત પાડે છે. અને એક સુકુંન ભરી શાંતિ આપે છે, એક આહ્લાદક આનંદ આપે છે. દરિયાના મોજા અને તેના શોર માં માણસ ડૂબકી લગાવીને પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધી શકે છે. એ શોર માં એક સંમોહન શક્તિ હું અનુભવું છું.
દરિયો...માનવીના મન થી પણ ઊંડો છે દરિયો.. કદાચ આ દરિયાના ઊંડાણ માં શું શું છૂપાયેલું છે તેનો તાગ કાઢવા કોઈ પણ સક્ષમ નથી. સુંદર જલસૃષ્ટી આ દરીયા કિનારે અને દરિયામાં પોતાનું અસ્તિત્વ ટકાવી રહી છે. કેટલાય જીવો માટે આ દરિયો તારણહાર છે અને કેટલાય જીવો જે આ દરિયામાં પોતાનો જીવ ખોઇ દે છે તેમને માટે આ જ તારણહાર ભક્ષક બને છે. સમુદ્ર કિનારે તેના વહેતા મોજા ને નિહાળવું એ પણ એક લહાવો છે. વિશાળ સમુદ્ર ના અલ્પજીવી વિકરાળ મોજા એક સમયે જમીન કે પથ્થર સાથે ટકરાઇ ને ફીણ ફીણ થઈ જાય છે, બિલકુલ માનવીના અહંકાર ની જેમ જ તો!! કદાચ એમ કહી શકાય કે અત્યંત ભયાવહ અને શક્તિશાળી મોજા પણ ધરતી નો સ્પર્શ કરવા વિહવળ બની જાય છે અને અંતે ધરતી નો સ્પર્શ થતાં જ બિલકુલ નમ્ર બની જાય છે બિલકુલ એક શક્તિશાળી આદમ પોતાની ઇવ પાસે ઝૂકી જાય એમ જ. દરિયો પોતાના વિશાળ પેટાળમાં અનેક રાઝ,અનેક રહસ્યો ને સમાવીને ઘેઘુર ગર્જના કરે છે. દરિયા કિનારે આમ શાંતિ પરંતુ પોતાના મોજા ની ભયંકર ગર્જના દ્વારા વાતાવરણ માં હંમેશા શોર જ શોર લાગે છે. પરંતુ એ શોર માં પણ એક અનેરો આનંદ છે, એક ઊંડાણ છે. એ શોર માનવીના હ્રદય , મન અને મગજ માં ચાલતા શોર ને શાંત પાડે છે. અને એક સુકુંન ભરી શાંતિ આપે છે, એક આહ્લાદક આનંદ આપે છે. દરિયાના મોજા અને તેના શોર માં માણસ ડૂબકી લગાવીને પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધી શકે છે. એ શોર માં એક સંમોહન શક્તિ હું અનુભવું છું.
Comments
Post a Comment