આજે એક સરસ રિલ મે જોઈ. લાઇફ માં મને ઘણા પ્રશ્નો થતા હોય છે અમુક ના જવાબ મળે છે અમુક ના ક્યારેય નથી મળતા. જેના નથી મળતા એ સવાલો ને સમય પર છોડી દઉં છું. કે સમય જ તેનો જવાબ મને આપશે.
આપણને ઘણી વખત એવો સવાલ થતો હોય છે કે જ્યારે હું કોઈ વ્યક્તિ સાથે સારું કરું છું તો તે વ્યક્તિ મારી સાથે ખરાબ કેમ કરે છે? અને જો એ મારી સાથે ખરાબ કરે છે તો મારે એની સાથે હવે સારું કરવું જોઈએ કે નહીં?
આપણે માનવમન હંમેશા અપેક્ષા ઘણી રાખીએ છીએ. આપણે દર વખતે એમ ઇચ્છીએ છીએ કે ને આની સાથે સારું કર્યું તો તે વ્યક્તિ પણ મારી સાથે સારૂં કરશે. પણ હકીકત માં જ્યારે આપણે કોઈની સાથે સારું કરીએ છીએ તો આપણે સમગ્ર બ્રહ્માંડ માં એ સારાઇ ફેલાવીએ છે. તો જરૂરી નથી કે એ જ વ્યક્તિ પાસેથી સારાઇ પાછી આવે, આપણે કરેલી કોઈ પણ સારું કામ અલગ વ્યક્તિ પાસેથી અલગ સ્વરૂપમાં જ્યારે આપણે તેની જરૂર હોય ત્યારે પાછી આવશે.
એમ કહેવાય છે કે સારું કામ કરો અને ફળ ની અપેક્ષા ન કરો. "નેકી કર દરિયા મે ડાલ." મતલબ આપણે આપણું સારું કામ કર્યે જવાનું, ભગવાન , સુપર પાવર જ્યારે આપણે એવી કટોકટી માં મુકાયેલા હોઈશું ત્યારે કોઈ ને કોઈ સ્વરૂપે આપણને મદદ મળી રહેશે.
આપણા દરેક કાર્ય ની નોંધ ભગવાન રાખે છે. અને કે તે કર્મ મુજબ આપણને તેનું ફળ પણ ભગવન યોગ્ય સમયે આપી જ રહે છે.
નેકી કર દરિયા મે ડાલ દો જો અભી,
વો હિ તુફાન મે કશ્તિયા બન કર સાથ દેંગે કભી .
Comments
Post a Comment