Skip to main content

Two faced people

     લાઇફ આપણને ઘણું શીખવે છે. લાઇફ માં આપણને સારી અને ખરાબ બને વ્યક્તિઓ નો ભેટો થાય છે.   સારી વ્યક્તિ ના સંપર્ક થી લાઇફ સારી બને છે અને ખોટી વ્યક્તિ ના સંપર્ક થી આપણને એક કડવો અનુભવ મળે છે.  આ દુનિયા છે , અહી સારાઈ કરતા ખરાબી , ખરાબ લોકો અને કડવા અનુભવો વધુ મળે છે. 

  અને આ કડવા અનુભવો કદાચ કડવા લીમડા કે કડવા ઝેર કરતા પણ વધુ કડવા હોય છે, કે ગળે થી ઉતારી  શકાતાં નથી, પણ હકીકત એ છે કે ઉતારવા પડે છે. Thats life.

        કળિયુગ પોતાનો પગપેસારો કરી રહ્યો છે.  હું તો  આ એક બ્લોગ બરોબર નથી રાખી શકતી અને લોકો  ટું ફેસ રાખે છે.  લોકો આજકાલ મતલબી થઈ રહ્યા છે.
 
    હાથી ના ચાવવાના અને દેખાડવાના દાંત અલગ હોય છે.   એ જ રીતે માણસ પણ આજકાલ બોલે કઈક કરે છે કઈક. મતલબ લોકો વાતો તો મોટી મોટી કરે પણ તેનું આચરણ કરી શકતા નથી. લોકો અન્ય વ્યક્તિ પાસે સારા થવા, પોતાની એક સારી  ઈમેજ બનાવવા  સારું સારું બોલી શકે પરંતુ હકીકત માં તેની અમલવારી કરી શકતા નથી.
 
        સત્ય નો પંથ બહુ કપરો છે. ત્યાં ભીડ પણ બહુ ઓછી હોય છે, કારણ કે લોકો ત્યાં ચાલી શકતા નથી. લોકો  પળે પળે  ખોટું બોલે છે, ખુદ પોતાનાથી પણ ખોટું બોલે છે. હા, પોતાની બડાઈ હાંકવા  સારી ઈમેજ માટે ખુદ પોતાને અને લોકોને પણ સલાહ આપતા હોય છે કે ખોટું ન બોલો, સાચું જ  બોલો, પરંતુ હકીકત માં સત્ય બોલવું એટલું સહેલું નથી, અનેક લોકો ની નજર માંથી ઉતરી જાય, સંબંધ માં કડવાશ આવી જાય, ઝઘડા થાય ખૂબ પરેશાની ભોગવવી પડે. માણસો અત્યારે જરા દુઃખ આવે ત્યાં થાકી જાય તો સત્ય ના પંથ પર તો અનેક દુઃખો આવતા હોય છે તો ત્યાં  ડગ મૂકતા  જ જરા કષ્ટ પડતા થાકી જાય અને યુ ટર્ન લઈ લે ....

        આજના જમાનામાં મોટી મોટી વાતો કરવી બહુ  સહેલી છે. પરંતુ એનો  અમલ કરવો, પોતાના શબ્દો ને વળગી રહેવું એ બહુ જ અઘરું છે.
 
        પહેલાના જમાનામાં રાજા મહારાજા  ફકત પોતાના બોલ પાળવા માટે પોતાના પ્રાણ ની આહુતિ આપતા. અને બીજા અનેક બલિદાન આપતા.  રામ ભગવાન ના કુળ માં "પ્રાણ જાયે પર વચન ન જાયે "  એ  શુભ પરંપરા હતી.  તેથી જ તેઓ  ઇતિહાસ માં અમર થઈ ગયા. અને આજના લોકો તો  નાની નાની વાત માં ફરી જતા હોય!!
 
      શા માટે?? તમે  એટલું જ બોલો ને જેટલું કરી શકતા હો, પાળી શકતા હો.
 
        બીજાની તો મને નથી ખબર પણ મારી આસપાસ આવા ડબલ ફેસ લોકો થી હું તો દૂર જ રહું. એક અંતર જાળવી ને  જ  કોન્ટેક્ટ રાખવાનો. એવા લોકો પર વિશ્વાસ જ ના કરી શકાય. આજે કઈક અલગ બોલે અને કાલે કઈક અલગ. મને કઈક બીજું કહે અને બીજા ને મારું કઈક અલગ કહે.  આવા  લોકો વિશ્વાસ ને પાત્ર હોય  જ નહિ!!! 

Comments

Popular posts from this blog

 Today i watched A gujju movie LAGAN LAGI RE .          Amazing movie.. but one thing i still dont get it that are coincidences give us some signs?? Do universe give us some signs ? Many times the universe  trying to give some hints but we interpret it according to our thoughts.         Sometimes co incidences are just happen randomly but we take it seriously.          Just small thought erase ur worries"Go with the flow". 

Idiot.....

Yes i m an idiot if  i dont like to hurt anyones feelings Yes  i m idiot if i dont like to play with anyones emotion Yes i m idiot if i believe  anyones easily Yes i m idiot  if i trust anyone blindly Yes i m idiot  if i do many silly mistakes Yes i m idiot if i cant read mind of mean people Yes i m idiot  if i give opportunity  to anyone to break my trust Yes i m idiot if i reach to that special person late Yes i m idiot if i m very emotional Yes i m idiot if i m caring Yes i m idiot if i follow all moral rule Strictly Yes j m idiot if i say sorry though there was no my mistake.. Yes i m idiot if  i choose truth over anything , anyone Yes i m idiot if i cant speak loudly to liers Yes i m idiot to give a chance to  play with my emotions Yes i m idiot if i  choose to be real, honest and truthful Yes i m idiot if i choose my relation instead of my self respect  Yes i m idiot if i dont like to  clear things earlier.. Yes i m very ...

💕 સિધ્ધત💕

        અત્યારની જનરેશન માં ટાઈમપાસ નું ચલણ વધુ રહ્યું છે.કોઈ છોકરા ને એક છોકરી ગમી , તેની સાથે વાત કરી, હર્યા - ફર્યા , મોજ મસ્તી કરી અને મન ભરાઈ ગયું એટલે  પેલી છોકરી ને પડતી  મૂકી ને બીજી છોકરી  સાથે ફ્લર્ટ  અને બીજું બધું..        વાત આજે અહીં  સાચા પ્રેમ ની કરવાની છે. ટાઈમપાસ બહુ સરળ વાત છે, પણ પોતાના પ્રોમિસ, પોતાના વચન પર આજીવન કાયમ રહેવું અઘરું તો તે છે      Siddhat  એક બહુ જ સુંદર મુવી છે, 2019 માં રિલીઝ થયું છે. દરેક યુગલ જે પ્રેમ ને પવિત્ર માને છે  તેમણે ખાસ જોવું. બે કપલ ની વાત છે,આપણે ત્યાં એમ માનવમાં આવે છે કે માણસ ની મોટી ઉમર થાય એમ એ પરિપક્વ , મેચ્યોર   થતો જાય .. પરંતુ તમે ખુદ આસ પાસ માર્ક કરજો, આ વાત ખોટી છે, ઘણી વાર નાની ઉંમરની વ્યકતિ પણ ખૂબ સમજદારી ભરી વાત કહી દે છે, સમજદારી મહત્વની છે, ઉમર નહિ. એક કપલ છે જે કોલેજ માં રોમાંસ  કર્યા પછી લગ્ન કરે છે,અને છોકરો  (મોહિત રૈના)અને છોકરી (ડાયેના પેન્ટી) એક બીજાને પ્રેમ ખૂબ કરે છે પણ નાની વાત ને રાઈનો પહાડ બનાવી ડિવોર્સ લે...