કોઈ સુંદર વ્યક્તિ ને જોઈને એમ થાય અહા! કેટલી સુંદકર છોકરી છે કે કેટલો સુંદર છોકરો છે! ખરું ને??
પછી ભલે એ જ વ્યક્તિ સ્વાર્થી,પ્રપંચી હોય!!!સુંદરતાના માપદંડ દરેક વ્યક્તિએ બદલાય છે. મારા માટે જે વ્યક્તિ મનથી સુંદર,પવિત્ર હોય હે વ્યક્તિ બધી રીતે સુંદર.બાહ્ય સુંદરતા કરતા ભીતર સુંદરતા વધુ મહત્વ ની છે!!
વ્યક્તિ પોતાના સંસ્કાર, વિચારોથી ઓળખાય છે. જેના વિચારો સારા તે વ્યક્તિ સુંદર. બાકી મનમાં કોઈ વ્યક્તિ પ્રત્યે વેર -ઝેર હોય અને એ જ વ્યક્તિની સામે તેના ખોટા વખાણ કરવા એ તો નર્યો દંભ જ છે! કોઈ પણ વ્યક્તિ પ્રત્યે મન -વચન થી વિચારો માં સમાનતા હોવી જોઈએ.
સાદું જીવન ઉચ્ચ વિચાર.
જીવન સિમ્પલ હોય તો ચાલે, વ્યક્તિના વિચારો ઉચ્ચ હોવા જોઈએ.
Comments
Post a Comment