મિસ કરું છું…..
આજે 26મી એપ્રિલના રોજ અક્ષય તૃતિયા છે,અખાત્રીજ છે. અખા ત્રીજ એટલે એવો શુભ દિવસ કે જે દિવસે કોઈ શુભ મુહૂર્ત જોવા જ ન પડે, 24 કલાક શુભ જ હોય!! આજે અનેક માંગલિક કાર્યો કરવામાં આવતા હોય,સગાઈ-લગ્ન, દુકાન વગેરે નું ઉદ્ઘાટન આ સપરમાં દિવસેવધુ કરવામાં આવતું હોય,ખેડૂતો પણ આ દિવસે નવા બીજ ની રોપણી કરે છે. અનેક લોકો સોના ની ખરીદી આ દિવસે કરતા હોય છે.
પરંતુ લોકડાઉન ને લીધે આ વર્ષે સોનીબજાર બંધ છે.કદાચ ઇતિહાસ માં પહેલી વખત આવું બન્યું હશે!!
વૈશાખ નો તાપ જોરદાર પડે છે. હવે આવી ગરમી માં મને મારા જામનગર નું લાખોટા તળાવ બહુ જ યાદ આવે છે. એક સાંજ લાખોટા ફરતે! મસ્ત ઠંડ ઠંડો પવન લહેરાતો હોય,માણસોની મર્યાદિત આવરજવર (બ્યુટીફીકેશન પછી ખાસ) હોય અને સુંદર તળાવ!! આજે આ તળાવની પાળે જવાનું બહુ જ મન થયું છે.
સાથે સાથે પેલી મટકા કુલ્ફી ઠંડા ઠંડા કૂલ કૂલ અને નટ્સ થી ભરપૂર બહુ જ યાદ આવે છે. ખબર નહિ એ હોવી ક્યારે મળશે??!!
અહીં ભીડભજન નામે શિવમંદિર છે, ઘણું પ્રખ્યાત છે, એ મંદિર ને મિસ કરું છું…
બસ આજે તો આઈસક્રીમ ને બહુ જ મિસ કરું છુ..
માણસો ની ચહલ પહલ વગર આ રસ્તા પણ સૂમસામ છે, સમગ્ર નગર માં સ્મશાનવત શાંતિ ભાસે છે. લોકોની એ ચહલપહલ ને મિસ કરું છું..
Comments
Post a Comment