Skip to main content

મિસ કરું છું...

મિસ કરું છું…..

આજે 26મી એપ્રિલના રોજ અક્ષય તૃતિયા છે,અખાત્રીજ છે. અખા ત્રીજ એટલે એવો શુભ દિવસ કે જે દિવસે કોઈ શુભ મુહૂર્ત જોવા જ ન પડે, 24 કલાક શુભ જ હોય!! આજે અનેક માંગલિક કાર્યો કરવામાં આવતા હોય,સગાઈ-લગ્ન, દુકાન વગેરે નું ઉદ્ઘાટન આ સપરમાં દિવસેવધુ કરવામાં આવતું હોય,ખેડૂતો પણ આ દિવસે નવા બીજ ની રોપણી કરે છે. અનેક લોકો સોના ની ખરીદી આ દિવસે કરતા હોય છે.

પરંતુ લોકડાઉન ને લીધે આ વર્ષે સોનીબજાર બંધ છે.કદાચ ઇતિહાસ માં પહેલી વખત આવું બન્યું હશે!!

વૈશાખ નો તાપ જોરદાર પડે છે. હવે આવી ગરમી માં મને મારા જામનગર નું લાખોટા તળાવ બહુ જ યાદ આવે છે. એક સાંજ લાખોટા ફરતે! મસ્ત ઠંડ ઠંડો પવન લહેરાતો હોય,માણસોની મર્યાદિત આવરજવર (બ્યુટીફીકેશન પછી ખાસ) હોય અને સુંદર તળાવ!! આજે આ તળાવની પાળે જવાનું બહુ જ મન થયું છે.

સાથે સાથે પેલી મટકા કુલ્ફી ઠંડા ઠંડા કૂલ કૂલ અને નટ્સ થી ભરપૂર બહુ જ યાદ આવે છે. ખબર નહિ એ હોવી ક્યારે મળશે??!!

અહીં ભીડભજન નામે શિવમંદિર છે, ઘણું પ્રખ્યાત છે, એ મંદિર ને મિસ કરું છું…

બસ આજે તો આઈસક્રીમ ને બહુ જ મિસ કરું છુ..

માણસો ની ચહલ પહલ વગર આ રસ્તા પણ સૂમસામ છે, સમગ્ર નગર માં સ્મશાનવત શાંતિ ભાસે છે. લોકોની એ ચહલપહલ ને મિસ કરું છું..

Comments

Popular posts from this blog

દરિયો એક તરસનો....

 હમણાં કાજલ ઓઝા વૈદ્યની નોવેલ વાંચું છું. ચિત્રલેખા માં પ્રસિદ્ધ થયેલી અને બહુ જ ફેમસ એક અલગ જ નોવેલ છે, દરિયો એક તરસનો. એક છોકરી નાનપણથી માતા-પિતાનો પ્રેમ ઝંખે છે,પરંતુ સંજોગોવશાત તેના નસીબમાં જ નથી હોતો. પછી યુવાવસ્થામાં એક યુવક પાસેથી પ્રેમ ઝંખે છે,તે પણ તેના નસીબ માં નથી હોતો!! સ્વભાવે ભોળી,સુંદરતામાં રૂપસુંદરીઓને પણ પાછળ પાડી દે તેવી અત્યંત સુંદર, જાણીતી અભિનેત્રી, મબલખ સંપત્તિ વારસામાં મેળવનારી, નિઃસ્વાર્થ પ્રેમ ઝંખનારી વ્યક્તિ પોતાના સોનેરીદિવસો યુવાવસ્થામાં જ્યારે પ્રેમ પાછળ દોડે છે ત્યારે ઝાંઝવાના જળ ની જેમ આ પ્રેમ પણ માત્ર આભાસ સાબિત થાય છે!!વિશ્વરૂપી દરિયામાં તેની પ્રેમની તરસ બુઝાતી જ નથી!! બહુ જ નાજુક વિષયની આ વાર્તા બહુ જ સુંદર શબ્દો માં લખવામાં આવેલ છે. આ તો કેવળ એક કોરી કલ્પના હશે પરંતુ હકીકત માં પણ આવું બનતું હોય છે! અનેક લોકો એવા હોય છે જે અસીમ રૂપ, અખૂટ સંપત્તિ ના સ્વામી હશે પરંતુ પ્રેમ ની બાબતમાં બહુ જ ગરીબ હશે!! આજકાલ લોકો સાચી લાગણી નિઃસ્વાર્થ પ્રેમ ઝંખે છે,પણ આજકાલ પ્રેમ દુર્લભ છે!! આ કળિયુગમાં ઘણી વ્યક્તિઓ એકલવાયાપણું  ક્યાંક ને ક્યાંક તો મહેસુસ  કર...