Skip to main content

Divorce

આજકાલ પેપર માં તમે જોશો તો આખું છાપું અનેક ચિત્ર વિચિત્ર કિસ્સાઑ થી ભરેલું હોય છે. સમાજ માં નેગેટિવિટી વધી ગઈ છે. લોકો કદાચ પોતાની સહનસક્તિ ગુમાવી રહ્યા છે.

આજ ના સમય માં છૂટાછેડા નું પ્રમાણ ઘણું વધવા લાગ્યું છે. અરે અમુક કપલ તો જસ્ટ 1 મહિનો કે 6 મહિના માં જ અલગ થાય જાય છે. શું લોકો ની સહન શક્તિ ઘટી ગઈ છે?? કે શું લોકો શંકા શીલ બની રહ્યા છે?

એક વ્યક્તિ થી છૂટવા માટે અનેક બહાના હોય શકે પણ એ જ વ્યક્તિ સાથે સાથે રહેવા માટે ફક્ત એક જ બહાનું ચાલે કે બસ ગમે તે થાય મારે આ જ વ્યક્તિ સાથે રહવું છે!! હા, પણ એ નો મતલબ એમ પણ નહીં કે આત્મ સમ્માન ના ભોગે તો નહિ જ!!

આજકાલ વરપક્ષ તરફથી ઘરેલુ હિંસા, શંકાશીલ સ્વભાવ, ખોટા વચનો, કથળેલ આર્થિક સ્થિતિ, લગ્નબાહ્ય સંબંધો જેવા અનેક કારણો હોય છે. પછી લોકો મતભેદ ને મનભેદ નું નામ આપીને ડિવોર્સ લે છે. ડિવોર્સ નું વધતું પ્રમાણ સમાજમાં કઈક ખોટું થઈ રહ્યું છે એ તરફ દિશાનિર્દેશ કરે છે!! દેશ માં કઈઈ કેટલીયે મહિલાઓ લગ્ન બાદ લગ્ન જીવનની નિષ્ફળતાથી કે સમાજ કે ઘરમાં થતાં અપમાનો થી ત્રસ્ત થઈને આત્મા હત્યા કરે છે.

Comments

Popular posts from this blog

દરિયો એક તરસનો....

 હમણાં કાજલ ઓઝા વૈદ્યની નોવેલ વાંચું છું. ચિત્રલેખા માં પ્રસિદ્ધ થયેલી અને બહુ જ ફેમસ એક અલગ જ નોવેલ છે, દરિયો એક તરસનો. એક છોકરી નાનપણથી માતા-પિતાનો પ્રેમ ઝંખે છે,પરંતુ સંજોગોવશાત તેના નસીબમાં જ નથી હોતો. પછી યુવાવસ્થામાં એક યુવક પાસેથી પ્રેમ ઝંખે છે,તે પણ તેના નસીબ માં નથી હોતો!! સ્વભાવે ભોળી,સુંદરતામાં રૂપસુંદરીઓને પણ પાછળ પાડી દે તેવી અત્યંત સુંદર, જાણીતી અભિનેત્રી, મબલખ સંપત્તિ વારસામાં મેળવનારી, નિઃસ્વાર્થ પ્રેમ ઝંખનારી વ્યક્તિ પોતાના સોનેરીદિવસો યુવાવસ્થામાં જ્યારે પ્રેમ પાછળ દોડે છે ત્યારે ઝાંઝવાના જળ ની જેમ આ પ્રેમ પણ માત્ર આભાસ સાબિત થાય છે!!વિશ્વરૂપી દરિયામાં તેની પ્રેમની તરસ બુઝાતી જ નથી!! બહુ જ નાજુક વિષયની આ વાર્તા બહુ જ સુંદર શબ્દો માં લખવામાં આવેલ છે. આ તો કેવળ એક કોરી કલ્પના હશે પરંતુ હકીકત માં પણ આવું બનતું હોય છે! અનેક લોકો એવા હોય છે જે અસીમ રૂપ, અખૂટ સંપત્તિ ના સ્વામી હશે પરંતુ પ્રેમ ની બાબતમાં બહુ જ ગરીબ હશે!! આજકાલ લોકો સાચી લાગણી નિઃસ્વાર્થ પ્રેમ ઝંખે છે,પણ આજકાલ પ્રેમ દુર્લભ છે!! આ કળિયુગમાં ઘણી વ્યક્તિઓ એકલવાયાપણું  ક્યાંક ને ક્યાંક તો મહેસુસ  કર...