Skip to main content

Forever is a lie...


            હમણાં એક બહુ જ ઈન્ટરેસ્ટિંગ વેબસિરિઝ જોવ છુ. ટ્વિસ્ટ ને  ટર્નથી ભરપૂર  એક સુંદર રોમેન્ટિક સસ્પેન્સ સ્ટોરી છે. તેમાં નાયક એક સુંદર વાક્ય કહે છે forever is  a lie, હંમેશા, કાયમી એ એક અસત્ય છે!!!!
            આમ જોઈએ તો શું કંઈ કાયમી, શાશ્વત હોય છે ખરા???  ના.  કોઈ પણ મનુષ્ય પણ કાયમી નથી. નિશ્ચિત સમયે  તેનું પણ મૃત્યુ થાય જ છે. આ એક સનાતન સત્ય છે, જે જન્મે છે એ મૃત્યુ પામે જ છે.આ દુનિયામાં  કોઈ વ્યક્તિ, કોઈ લાગણી,કોઈ ખ્યાતિ, સફળતા, નિષ્ફળતા, શ્વાસ, સુખ-દુઃખ કશું જ કાયમી નથી. અને એ જ જીવનનું કડવું સત્ય છે. 
            કોલેજમાં ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ ,બે મિત્રો એક બીજાને ફોરએવર કાયમી સાથ આપવાના વાયદા કરે છે અને બસ વર્ષ બદલાય અને એ જ મિત્રો કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ અલગ જોવા મળે છે. એ જ રીતે  જીવનમાં આગળ વધતા એક છોકરી અને છોકરો જીવનભર સાથ નિભાવવાના વાયદા કરતા લગ્નજીવન શરૂ કરે છે. પરંતુ  અમુક સમય બાદ અમુક કિસ્સા માં એ જ કપલ અલગ જોવા મળે છે. અહીં Forever is a lieથિયરી ખરી  સાબિત થાય છે. 
       આ તો થઈ વ્યક્તિ ની, માણસ ની ઈમોશન લાગણીઓ પણ સમય જતાં બદલાય છે. જે વ્યક્તિ પ્રત્યે આજે અન્ય વ્યક્તિ ને પ્રેમ છે સમય જતાં એ જ વ્યક્તિ  પ્રત્યે નફરત કે ગુસ્સા ની લાગણી જન્મી શકે છે. આજે કોઈ વ્યક્તિના જીવનમાં દુઃખ છે તો કાલે એ જ વ્યક્તિ ના જીવનમાં સુખ દસ્તક દે જ છે. આજે જે વ્યક્તિ સફળ છે બની શકે આવતીકાલે એ જ વ્યક્તિ નિષ્ફળ નીવડી શકે, કાયમી કશું જ હોતું નથી. 
                આ વિશ્વમાં કશું જ શાશ્વત હોતું નથી. દરેક માનવી રોજ સવારે નવા વિચારો સાથે ઉઠે છે. માનવી ની લાગણીઓ, વિચારો સમય સાથે નિરંતર બદલાતા રહે છે. સફળતા -નિષ્ફળતા,સુખ-દુઃખ, એ જીવનમાં એક સળંગ લીટી પર નહિ પરંતુ સેંસેક્સ ના ગ્રાફ ની જેમ અપ ડાઉન  થાય છે. માનવી પોતાના જીવનકાળ દરમિયાન કોઈ પણ વ્યક્તિને કાયમ નફરત કે પ્રેમ કરી જ નથી શકતો.     'હું કાયમ તારી સાથે છુ' અથવા 'કાયમ તારો જ છું.' એ એક સફેદ જૂઠું જ છે. હા, ફોરએવર  એ માત્ર એક ભ્રમ છે અને ભ્રમ એ તો છેવટે તૂટે જ છે. 
         પ્રકૃતિમાં પણ હંમેશા કશું કાયમી નથી હોતું. સૂર્ય રોજ સવારે પશ્ચિમમાં ઉગે છે,પણ વરસાદ ના દિવસોમાં એ પણ દ્રશ્યમાન નથી થતો. ચંદ્ર પણ અમાસ - પૂનમ ના દિવસોમાં ક્રમ મુજબ દ્રશ્યમાન-અદ્રશ્યમાન થાય છે. દરિયાનું પાણી પણ કદી સ્થિર નથી હોતું, ભરતી - ઓટ આવ્યા જ કરે છે. પરિવર્તન એ તો સંસાર નો નિયમ છે. જે આ વિશ્વના દરેક સજીવને, દરેક રોજિંદી ક્રિયાઓમાં લાગુ પડે છે.



Comments

Popular posts from this blog

દરિયો એક તરસનો....

 હમણાં કાજલ ઓઝા વૈદ્યની નોવેલ વાંચું છું. ચિત્રલેખા માં પ્રસિદ્ધ થયેલી અને બહુ જ ફેમસ એક અલગ જ નોવેલ છે, દરિયો એક તરસનો. એક છોકરી નાનપણથી માતા-પિતાનો પ્રેમ ઝંખે છે,પરંતુ સંજોગોવશાત તેના નસીબમાં જ નથી હોતો. પછી યુવાવસ્થામાં એક યુવક પાસેથી પ્રેમ ઝંખે છે,તે પણ તેના નસીબ માં નથી હોતો!! સ્વભાવે ભોળી,સુંદરતામાં રૂપસુંદરીઓને પણ પાછળ પાડી દે તેવી અત્યંત સુંદર, જાણીતી અભિનેત્રી, મબલખ સંપત્તિ વારસામાં મેળવનારી, નિઃસ્વાર્થ પ્રેમ ઝંખનારી વ્યક્તિ પોતાના સોનેરીદિવસો યુવાવસ્થામાં જ્યારે પ્રેમ પાછળ દોડે છે ત્યારે ઝાંઝવાના જળ ની જેમ આ પ્રેમ પણ માત્ર આભાસ સાબિત થાય છે!!વિશ્વરૂપી દરિયામાં તેની પ્રેમની તરસ બુઝાતી જ નથી!! બહુ જ નાજુક વિષયની આ વાર્તા બહુ જ સુંદર શબ્દો માં લખવામાં આવેલ છે. આ તો કેવળ એક કોરી કલ્પના હશે પરંતુ હકીકત માં પણ આવું બનતું હોય છે! અનેક લોકો એવા હોય છે જે અસીમ રૂપ, અખૂટ સંપત્તિ ના સ્વામી હશે પરંતુ પ્રેમ ની બાબતમાં બહુ જ ગરીબ હશે!! આજકાલ લોકો સાચી લાગણી નિઃસ્વાર્થ પ્રેમ ઝંખે છે,પણ આજકાલ પ્રેમ દુર્લભ છે!! આ કળિયુગમાં ઘણી વ્યક્તિઓ એકલવાયાપણું  ક્યાંક ને ક્યાંક તો મહેસુસ  કર...