હેલ્લો ફ્રેન્ડ્સ!!
વેલ, લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે. લોકો આ લોકડાઉન ના સમય માં અનેક એક્ટિવિટી શોધીને સમયનો સદુપયોગ કરી રહ્યા છે. રામાયણ અને મહાભારત જેવી મહાન સિરિયલ દ્વારા લોકો પોતાની જૂની યાદો ને સાંભરી રહ્યા છે.ગઇકાલે જ એકદમ ઓચિંતું મને એક ખૂબ જ સરસ સિરિયલ યાદ આવી.લાઇફ ઓકે પર ‘અજીબ દાસ્તાન હૈ યહ..’ નામની એક મસ્ત સિરિયલ ને ગૂગલ કર્યું તો 2014માં ટેલીકાસ્ટ થઈ હતી. એકવાર જોવા જેવી ખરી!!
સોનાલી બેંન્દ્રે અને અપૂર્વા અગ્નિહોત્રી લીડ રોલમાં હતા. વાર્તા શોભા(સોનાલી બેંદરે) અને સમર્થ(છાયા) અને વિક્રમ(અપૂર્વા અગ્નિહોત્રી) ની આસપાસ રચાય છે. શોભા અને સમર્થ પતિ-પત્ની છે. સમર્થ એક વિલન છે. જ્યારે અમુક કારણોસર તેને જેલ થી છે ત્યારે એક ગૃહિણી શોભા પોતાના બાળકોને કેમ સાચવવા, તેમનું ભવિષ્ય આ બધુ કઈ રીતે મેનેજ કરવું વગેરેની મુંઝવણમાં પડી જાય છે. ક્યારેય નોકરી ના કરી હોય એ શોભા આ પોતાના બાળકો માટે જોબ જોઇન કરે છે. વિક્રમ એક સારો વ્યક્તિ પણ થોડો અકડુ,હમેશા સાચી વાત પણ કડવી રીતે કહેવાવાળો, ભૂતકાળ ના કડવા અનુભવથી કડવી વ્યક્તિ બની જનાર,પરંતુ પોતાની ભૂલને સ્વીકારનાર, ગૂડ લૂકિંગ બેચલર છે. અનેક અપડાઉન પછી શોભા અને વિક્રમ બંને મિત્રો બને છે. સમર્થ જેલ માથી છૂટે છે પછી શોભા તેને ડીવોર્સ આપે છે.
પછી શોભા અને વિક્રમ બંને બધી તકલીફો નો સાથે ઉકેલ લાવે છે. ધીમે ધીમે વિક્રમ શોભા ને ખૂબ જ પ્રેમ કરવા લાગે છે, ત્યાં સુધી કે એની મોટામાં મોટી ભૂલ ને પણ માફ કરી દે છે,તેને દુખી નથી જોઈ શકતો. એક વખત બંનેના ફૅમિલી બંને લગ્ન કરી લે એમ ઈચ્છે છે, ત્યારે સ્વમાની શોભા ના પડે છે.તે જાણતી હોય છે કે વિક્રમ તેને ખૂબ જ પ્રેમ કરે છે અને કદાચ તેનાથી વધારે જિંદગીમાં ક્યારેય કોઈએ તેને એટલો પ્રેમ નહીં કર્યો હોય, તેથી બહુ વિનમ્રતાથી ના પડે છે. વિક્રમ પણ એ વાત સાથે સહમત થી છે કે દરેક સંબંધ ને નામ આપવું જરૂરી નથી હોતું અમુક સંબંધ નામ વગરના પણ હોય છે!!! વિક્રમ શોભા ની તરફ મૈત્રીનો હાથ લંબાવે છે. ત્યારે શોભા કહે છે કે હું મૈત્રી નિભાવીશ અને વિક્રમ પ્રેમ. બંને એકબીજાને મિત્ર તરીકે સાથે રહેવાનું વચન આપે છે.પોતાના બાળકો સાથે શોભા સ્વાવલંબી બને છે. અને તેનું પ્રેરકબળ બને છે વિક્રમ.
ખરેખર, અદ્ભુત વાર્તા.
જનરલી સિરિયલ, નોવેલ,મૂવીસ એ એક કલ્પના કથા પર આધારિત હોય છે. પણ હું એવું સ્ટ્રોંગલી માનું છું કે આવી જ ક્યાક વાર્તા વાસ્તવમાં બનેલ હોવી જ જોઈએ તો જ કોઈને લખવાની પ્રેરણા મળે ને!!
હમેશા એક સ્ત્રી પુરુષ વચ્ચે પ્રેમી-પ્રેમિકા કે પતિ-પત્ની નો જ સંબંધ હોય એ જરૂરી નથી!! એ બંને સારા ,ખાસ મિત્રો પણ હોય સકે. જે મિત્રતામાં માત્ર બંને એક બીજા ની ખુશી જ ઇચ્છતા હોય,બીજું કશું જ નહિ. જરૂર પડ્યે એક બીજાને મદદરૂપ થવા ઇચ્છતા હોય. નિઃસ્વાર્થ મૈત્રી!! હું ખુદ પણ માનું છું કે અમુક નામ વગરના સંબંધો ક્યારેક વધારે ખુશી આપે છે. આ કળીયુગ છે. આજના સમયમાં પોતાના પણ એક બીજા ની ખુશી નથી જોઈ સકતા ત્યારે પારકા જેની સાથે કોઈ અંગત સંબંધ ના હોય એ વ્યક્તિ ઘણીવાર ખાસ થઈ જાય છે.
કોઈ પણ સંબંધ ને જીવનભર નિભાવવાની એક ચાવી છે કોઈ પણ સંબંધ માં બહુ ઊંડા ના ઊતરશો. જે વ્યક્તિ જેવા છે એને એ જ સ્વરૂપમાં સ્વીકારી લો. હમેશા એક વાત તો બનતી જ હોય જ્યારે તમે કોઈ વ્યક્તિની અંગત બાબતો જાણવા લાગો બસ ત્યારથી જ સંબંધ બગડવાનું શરૂ થઈ જતું હોય છે. એક બીજાને જજ કરવાનું શરૂ કરો ત્યારે સંબંધ ના અંત તરફ આગળ વધી રહ્યા છો. રિલેસનશીપ આજકાલ બહુ જ જટિલ થઈ ગઈ છે. બાકી તો જે વ્યક્તિ તમારી લાઇફ માથી જવા ઈચ્છે તેને ખુશીથી વિદાય આપો. હમેશા કોઈ પણ સંબંધ માં સામેની વ્યક્તિને જ્યારે જવું હોય ત્યારે આ સંબંધ ને છોડવાની સ્વતંત્રતા હોવી જોઈએ,કોઈ બંધન ના હોવું જોઈએ. કોઈ પણ રિલેસનશીપ એક છોડ જેવો હોય છે,તેને ખુલ્લી હવા તથા બારોબાર માવજત અને સારસંભાળ મળવી જોઈએ!!!
બાય ધ વે અપૂર્વા અગ્નિહોત્રી મારો ફેવરિટ એક્ટર રહ્યો છે, બાળપણ થી. અમુક એક્ટર ની પર્સનલ લાઇફ પણ રસપ્રદ હોય છે, તેની વાઇફ પણ ફેમસ એક્ટ્રેસ છે, ટચવૂડ કપલ.
Comments
Post a Comment