Skip to main content

ચૈત્ર મહિનો અને હું

 



           ગુજરાતી  કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે. ગુજરાતી સાહિત્યમાં દરેક મહિનો પોતાનું એક અલગ મહત્વ ધરાવે છે. સામાન્ય રીતે ચૈત્ર મહીનામા ગરમી પડતી હોય છે એટલે આ મહિનામાં મીઠું મતલબ ખરું ખાવું વર્જ્ય માનવામાં આવયુચે. ધાર્મિક માન્યતા મુજબ શિવ ભગવંનના જમાઈ આ મહીના દરમિયાન મીઠા માં રહ્યા હતા તેથી ધાર્મિક માન્યતા મુજબ ઘણા લોકો આ મહીના દરમિયાન મોળું ખાય છે. 

        હાલમાં હું પણ આ વખતે પ્રથમ વખત ચૈત્ર મહિનો મોળો કરી રહી છુ. સામાન્ય રીતે નાનપણમાં આ એકટાણા ઉપવાસ મારા બસ ની વાત જ નહતી. મને યાદ આવે છે કે બાળપણમાં  ફક્ત એક જ દિવસ મોળું એકટાણું કે ઉપવાસ કર્યો હતો અને  ખૂબ નબળાઈ લાગવા માંડી હતી!!! હા, ઉપવાસ એકટાણા એ મારા બસ ની વાત નહતી. પણ આજે પરિસ્થિતિ બદલાય ગઈ છે. હંમેશા એક વાત મેં મારી જિંદગીમાં નોટ કરી છે કે વસ્તુ ,વ્યક્તિ અને પરિસ્થિતિ બદલાય તો છે જ!!!! આજે હું આજથી 10 દિવસ આજની તારીખે હા, 10  દિવસ ના મોળા એકટાણા કરી શકી છું. એ પછી માતાજી ની કૃપા કહો કે મક્કમ મનોબળ પણ હા, હું કરી શકી છું.

         હા, સાઈડ ઇફેક્ટ એ જ છે કે મને ઊંઘ વધુ આવે છે😁😊

     Nothing is impossible in this world..it just depend on ur will power to do any hard or hardest task...

Comments

Post a Comment

Popular posts from this blog

દરિયો એક તરસનો....

 હમણાં કાજલ ઓઝા વૈદ્યની નોવેલ વાંચું છું. ચિત્રલેખા માં પ્રસિદ્ધ થયેલી અને બહુ જ ફેમસ એક અલગ જ નોવેલ છે, દરિયો એક તરસનો. એક છોકરી નાનપણથી માતા-પિતાનો પ્રેમ ઝંખે છે,પરંતુ સંજોગોવશાત તેના નસીબમાં જ નથી હોતો. પછી યુવાવસ્થામાં એક યુવક પાસેથી પ્રેમ ઝંખે છે,તે પણ તેના નસીબ માં નથી હોતો!! સ્વભાવે ભોળી,સુંદરતામાં રૂપસુંદરીઓને પણ પાછળ પાડી દે તેવી અત્યંત સુંદર, જાણીતી અભિનેત્રી, મબલખ સંપત્તિ વારસામાં મેળવનારી, નિઃસ્વાર્થ પ્રેમ ઝંખનારી વ્યક્તિ પોતાના સોનેરીદિવસો યુવાવસ્થામાં જ્યારે પ્રેમ પાછળ દોડે છે ત્યારે ઝાંઝવાના જળ ની જેમ આ પ્રેમ પણ માત્ર આભાસ સાબિત થાય છે!!વિશ્વરૂપી દરિયામાં તેની પ્રેમની તરસ બુઝાતી જ નથી!! બહુ જ નાજુક વિષયની આ વાર્તા બહુ જ સુંદર શબ્દો માં લખવામાં આવેલ છે. આ તો કેવળ એક કોરી કલ્પના હશે પરંતુ હકીકત માં પણ આવું બનતું હોય છે! અનેક લોકો એવા હોય છે જે અસીમ રૂપ, અખૂટ સંપત્તિ ના સ્વામી હશે પરંતુ પ્રેમ ની બાબતમાં બહુ જ ગરીબ હશે!! આજકાલ લોકો સાચી લાગણી નિઃસ્વાર્થ પ્રેમ ઝંખે છે,પણ આજકાલ પ્રેમ દુર્લભ છે!! આ કળિયુગમાં ઘણી વ્યક્તિઓ એકલવાયાપણું  ક્યાંક ને ક્યાંક તો મહેસુસ  કર...